Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

જશાપરમાં ધીરગુરૂદેવની નિશ્રામાં શાસન પ્રગતી-ચાતુર્માસ પ્રવેશાંકનું લોકાર્પણ

રાજકોટ, તા., ૨૯: શ્રી જશાપર સ્‍થાનકવાસી જૈન સંઘ ખાતે પૂ. ધીરગુરૂદેવની નિશ્રામાં શાસનપ્રગતી-ચાતુર્માસ પ્રવેશાંકની લોકાર્પણવિધિ ચેન્નાઇના જૈન અગ્રણી બકુલેશભાઇ અને રેખાબેન વિરાણી, ઘાટકોપરના હિતેશભાઇ અને બીનાબેન દોશી તથા શ્રમજીવી સંઘના મહેશભાઇ અને ઇલાબેન મહેતાના હસ્‍તે કરવામાં આવેલ.

નંદકિશોર ગૌશાળા નુતનીકરણમાં અવેડાનો લાભ લલીતાબેન અમરચંદ શાહ હ. રેણુ જગદીશ મહેતા-અમેરીકા અને  રવિવારીય બાલ સંસ્‍કાર શિબિરનો લાભ  ડો.હર્ષદભાઇ અને ચેતનાબેન સંઘવી-બોસ્‍ટન વાળાએ લીધેલ છે. મીરલ કરમુર, બંસરી કરમુર, રાધીકા ગાગલીયા, મયુરભાઇ શાહ વગેરે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ છે.

(1:47 pm IST)