Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

ટંકારાના જબલપુરમાં પટેલ પરિણીતા સુનિતા ભાલોડીયાએ ગળાફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી

દોઢ વર્ષ પહેલા જ લગ્ન થયા હતાં: પતિને મોરબીમાં મોબાઇલની દૂકાનઃ કારણ જાણવા ટંકારા પોલીસની તપાસઃ રાજકોટમાં ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમ

રાજકોટ તા. ૨૯: ટંકારાના જબલપુરમાં રહેતી સુનિતાબેન ઉર્ફ સોનુબેન જયદિપ ભાલોડીયા (ઉ.૨૫) નામની પટેલ પરિણીતાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

સોનુબેને ગઇકાલે છતના હુકમાં ચુંદડી બાંધી ફાંસો ખાઇ લીધો હતો. દરવાજો મોડે સુધી બંધ રહેતાં પરિવારજનોએ ખખડાવવા છતાં નહિ ખોલાતાં દરવાજો તોડીને જોતાં તેણી લટકતી મળી હતી. બનાવ અંગે ટંકારા પોલીસને જાણ થતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. મૃતદેહને ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો છે.

સોનુબેનના લગ્ન દોઢ વર્ષ પહેલા થયા હતાં. તેણીના માવતર હડમતીયા રહે છે અને પતિને મોરબીમાં મોબાઇલ ફોનની દૂકાન છે. ટંકારા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(1:48 pm IST)