-
પુષ્કરધામ રોડ ઉપર પ્રદ્યુમન રોયલ હાઇટસમાં રૂપાલાના સ્નેહમિલન સમારંભમાં ક્ષત્રિયોનો ઉગ્ર વિરોધ access_time 2:58 pm IST
-
મનપામાં ઓનલાઇન વેરો ભરપાઇમાં ધસારો : છેલ્લા પાંચ વર્ષમાં ક્રેઝ વધ્યો access_time 3:07 pm IST
-
જીતેન્દ્રભાઇ રાઠોડે પત્નિને ગાળો દઇ ખૂનની ધમકી દીધીઃ પુત્રએ ફરિયાદ દાખલ કરાવી access_time 4:07 pm IST
-
દેવામાં ડૂબ્યો હતો ગુરુચરણ સિંહ: તારક મહેતા કા ,,, શૉ છોડીને પિતાની સેવા કરતો હતો રોશનસિંહ સોઢી access_time 8:45 pm IST
-
અમેરિકાની રિપબ્લિક ફર્સ્ટ બેન્ક ડૂબી ગઈ :શું હવે ફરી સર્જાઈ શકે છે વર્ષ 2008 જેવું આર્થિક સંકટ access_time 11:13 pm IST
-
સૌરાષ્ટ્રમાં કેસર કેરીની આવક વધીઃ ૧૦ કિલોના રૂા. ૮૦૦ થી ૨૮૦૦ access_time 3:49 pm IST
News of Friday, 29th July 2022
ટંકારાના જબલપુરમાં પટેલ પરિણીતા સુનિતા ભાલોડીયાએ ગળાફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી
દોઢ વર્ષ પહેલા જ લગ્ન થયા હતાં: પતિને મોરબીમાં મોબાઇલની દૂકાનઃ કારણ જાણવા ટંકારા પોલીસની તપાસઃ રાજકોટમાં ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ
રાજકોટ તા. ૨૯: ટંકારાના જબલપુરમાં રહેતી સુનિતાબેન ઉર્ફ સોનુબેન જયદિપ ભાલોડીયા (ઉ.૨૫) નામની પટેલ પરિણીતાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
સોનુબેને ગઇકાલે છતના હુકમાં ચુંદડી બાંધી ફાંસો ખાઇ લીધો હતો. દરવાજો મોડે સુધી બંધ રહેતાં પરિવારજનોએ ખખડાવવા છતાં નહિ ખોલાતાં દરવાજો તોડીને જોતાં તેણી લટકતી મળી હતી. બનાવ અંગે ટંકારા પોલીસને જાણ થતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.
સોનુબેનના લગ્ન દોઢ વર્ષ પહેલા થયા હતાં. તેણીના માવતર હડમતીયા રહે છે અને પતિને મોરબીમાં મોબાઇલ ફોનની દૂકાન છે. ટંકારા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(1:48 pm IST)