Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

શિવમંદિરોમાં સફાઇ ઝુંબેશ હાથ ધરતા જાગૃત કોર્પોરેટર કીર્તીબા રાણા

રાજકોટ : શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. ત્યારે શહેરના વોર્ડ નં.૧૭ ભાજપના  જાગૃત કોર્પોરેટર કીર્તીબા રાણા દ્વારા વોર્ડમાં આવતા શિવમંદિરોમાં સધન સફાઈ ઝુંબેશ હાથ ધરી ડી.ડી.ટી. છંટકાવ કરાવવામાં આવેલ હતો. સમગ્ર શ્રાવણ માસ દરમ્યાન શિવમંદીરોમાં દર્શનાર્થીઓની ભારે ભીડ રહેતી હોય મંદીરોમાં આવતા દર્શનાર્થીઓમાં મંદિરોમાં સધન સફાઈ ઝુંબેશ થી ખુશી ની લહેર પ્રસરી ગઈ હતી દર્શનાર્થીઓએ આ કામગીરીને બીરદાવી કોર્પોરેટર કીર્તીબા રાણાને અભિનંદન પાઠવેલ હતા.

(3:59 pm IST)