Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

આર્ય સમાજ માયાણીનગર ખાતે રવિવારથી સામવેદ પારાયણ મહાયજ્ઞ

પૂ. અજયજી આર્ય તથા પૂ. સ્‍વામી વિવેકાનંદજી પરિવ્રાજક પ્રવચન આપશે

રાજકોટ તા. ર૯: આર્યસમાજ માયાણીનગર ખાતે તા. ૩૧ રવિવારથી તા. ૭-૮ રવિવાર સમય સવારે ૭-૩૦ થી ૯-૩૦ તથા સાંજે ૪-૩૦ થી ૬-૩૦ સુધી સામવેદ પારાયણ મહાયજ્ઞ યોજેલ છે. તો આ અમૂલ્‍ય વેદકથાનો લાભ લેવા દરેક આર્ય પરિવારના સભ્‍યો તથા સદસ્‍યો તથા જાહેર જનતાને આર્યસમાજના પ્રમુખશ્રીનુંરણજીતસિંહ પરમારે ભાવભર્યું આમંત્રણ પાઠવ્‍યું છે.

બ્રહ્મસ્‍થાને પૂ. અજયજી આર્ય, દર્શનાચાર્ય, સોનીપત, હરિયાણા તા. ૩૧ થી ૦૪-૮ સુધી પૂ. સ્‍વામી વિવેકાનંદજી પરિવ્રાજક, દર્શન યોગ મહાવિદ્યાલય, રોજડ, ગુજરાત તા. પ-૮ થી ૭-૮ સુધી બિરાજશે અને પોતાની આગવી શૈલીમાં અમૃતવાણીથી વૈદિક પ્રવચન આપશે.

(5:02 pm IST)