Gujarati News

Gujarati News

News of Wednesday, 29th December 2021

ભુપેન્દ્રભાઇનું જાગનાથ ચોકમાં ૨૦૦ કિલો ફુલોના વરસાદથી સ્વાગત થશે

ગાયક કલાકારો દેશભકિતના ગીતો પીરસશેઃ ગુણુભાઇની ટીમની જહેમત

રાજકોટ : મુખ્યમંત્રી બન્યા પછી પહેલી વાર સત્તાવાર કાર્યક્રમમાં ભાગ લેવા માટે રાજકોટ આવી રહેલા ભૂપેન્દ્રભાઈ પટેલનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવાં માટે સરગમ પરિવારે તૈયારી શરૂ કરી દીધી છે.  એરપોર્ટથી ડી.એચ.કોલેજ સુધી રોડ શો યોજવાના છે ત્યારે જાગનાથ મંદિર ચોકમાં સવારે ૯:૩૦ થી ૧૧ દરમિયાન તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.

 સરગમ પરિવારે આ સ્વાગત માટે મન્સૂર ત્રિવેદી પ્રસ્તુત મેલોડી કલર્સ ઓરકેસ્ટ્રા અને આસિફ જેરિયા, સૈફુદીન ત્રિવેદી, નિલેષ વસાવડા, કાજલ કથરેચા અને રોશની જેવા સિંગરોની હાજરીમાં દેશભકિતના ગીતોનો ભવ્ય કાર્યક્રમ પણ રાખેલ છે. ૨૦૦ કિલો ફૂલો દ્વારા વરસાદ કરશે અને લોકલાડીલા મુખ્યમંત્રીને ફૂલડે વધાવશે.

 ગુણવંતભાઈના જણાવ્યા અનુસાર, આ સ્વાગત સન્માન કાર્યક્રમમાં સરગમ પરિવારના સભ્યો, કમિટી મેમ્બરો અને હોદેદારો વગેરે ઉપસ્થિત રહેશે. તેમ યાદીમાં જણાવાયું છે. 

(3:17 pm IST)