Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

બીએપીએસ સ્‍વામિનારાયણ મંદિરે શ્રીહરી અને શ્રીરામ પ્રાગટયોત્‍સવની ઉજવણી

 

રાજકોટ : BAPS સ્‍વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ ખાતે ભગવાન શ્રી સ્‍વામિનારાયણ અને ભગવાન શ્રી રામના પ્રાગટ્‍યોત્‍સવની ઉત્‍સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. સવારે ઠાકોરજીની વૈદિક મહાપૂજાવિધિ યોજાઈ હતી. જેમાં કોઠારી પૂ.બ્રહ્મતીર્થ સ્‍વામીના અધ્‍યક્ષ સ્‍થાને પૂ.વિશ્વેશતીર્થ સ્‍વામી અને પૂ.અક્ષરકીર્તિ સ્‍વામીએ ઉપસ્‍થિત સૌને મહાપૂજા વિધિમાં જોડ્‍યા હતા. મહાપૂજાવિધિ બાદ સંતોએ ઠાકોરજીને જન્‍મોત્‍સવ પર્વે કેસર જલાભિષેક કરી વધાવ્‍યા હતા. ત્‍યારબાદ નીલકંઠવર્ણી મંડપમાં શ્રી નીલકંઠવર્ણી મહારાજની કેસર જલાભિષેક વિધિ યોજાઈ હતી. ભક્‍તોએ ભગવાનના વિશિષ્ટ નુતન શણગાર દર્શન અને શણગાર આરતી દર્શનનો લાભ પ્રાપ્ત કર્યો હતો. બપોરે ૧૨ વાગ્‍યે શ્રી રામ જન્‍મોત્‍સવની આરતી ઉતારવામાં આવી હતી. તેમજ સાંજે ૫ થી ૬ દરમ્‍યાન નીલકંઠવર્ણી અભિષેક મંડપમાં ધૂન તથા સહજાનંદ નામાવલી પાઠ, ૬ થી ૭ મંદિર પરિસર પર ઠાકોરજી સમક્ષ અન્નકૂટ થાળગાન, સંધ્‍યા આરતી અને અન્નકૂટ દર્શન તથા રાત્રે ૮ થી ૧૦.૧૫ દરમ્‍યાન પ્રમુખસ્‍વામી સભાગૃહમાં ભગવાન સ્‍વામિનારાયણ જન્‍મોત્‍સવની સભાનો વિશિષ્ટ લાભ મળશે. સભાનો લાભ લેવા ભાવિક જનતાને પરિવાર અને મિત્રો સાથે પધારવા કોઠારી પૂ. બ્રહ્મતીર્થ સ્‍વામીએ હાર્દિક નિમંત્રણ પાઠવ્‍યું છે.

 

 

(3:35 pm IST)