Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

ભાજપા આઇટી સેલના પ્રમુખ અમિત માલવીયાને જાનહાનીની નોટીસ

યુથ કોંગ્રેસના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી નિવાસના વકિલ દ્વારા કાર્યવાહી

નવી દિલ્‍હીઃ યુથ કોંગ્રેસના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ બી વી શ્રી નિવાસે બુધવારે વિવાહીત ટવીટ બાબતે ભાજપના આઇટી સેલના પ્રમુખ અમીત માલવીયાને લીગલ નોટીસ મોકલી છે. તેમના વકિલ શ્રી સહાયે પાતાની લીગલ નોટીસમાં કહયું કે આ એક સર્વવિદીત તથ્‍ય છે કે અમીતમાલવીયા દ્વારા સોશ્‍યલમીડીયા પર સાર્વજનિક રીતે બીવી શ્રી નિવાસની છબી ખરાબ કરવા અને ખોટા  તથ્‍યોના આધાર પર કરાયેલ ટીપ્‍પણી દુર્ભાવના પુર્ણ ઇરાદાઓથી કરાયેલછે.

શ્રી નિવાસના વકિલે કહયું કે માલવીયા દ્વારા અપાયેલ  ઉકત સ્‍ટેટમેન્‍ટ ખરાબ અને દુર્ભાવના પુર્ણ છે. એટલું જ નહીં અધિનિયમ ૨૦૦૦ ની કલમ   ૬૬ઇ, ૬૬એ, ૬૭ અને આઇપીસીની કલમ ૪૯૯,૩૪,૪૪,૧૨૦,૫૦૦ની જોગવાઈઓનું પણ ઉલ્લંઘન કરે છે.

માલવીયા દ્વારા શ્રી નિવાસની એક વીડીયો  કલીપ ટવીટ કર્યા પછી નોટીસ  મોકલવામાં આવી છે જેમાં:કર્ણાટકનાઆ કોંગ્રેસી નેતા પર કેન્‍દ્રીય પ્રધાન સ્‍મૃતિ ઇરાની વિરૂધ્‍ધ ગંદી ટીપ્‍પણીનો ઉપયોગ કરવાનો આક્ષેપ કરાયો હતો. માલવીયાએ પોતાના ટવીટમાં લખ્‍યુ઼ હતું કે આ મુદો, સેકસીસ્‍ટ માણસ ભારતીય યુવા કોંગ્રેસનો પ્રમુખ છે.

(3:55 pm IST)