Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

ખિદમત ગ્રુપ દ્વારા આયુષ્‍યમાન કાર્ડ કેમ્‍પ યોજાયો

 રાજકોટઃ ખિદમત સાવર્જનીક ટ્રસ્‍ટ દ્વારા સંચાલીત ખિદમત ગ્રુપ આયોજિત સેવા કાર્યો થઇ રહ્યા છે તેમાં છોટુનગર વિસ્‍તારમાં પ્રધાનમંત્રી આયુષ્‍માનકાર્ડના કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ જેમાં રાજકોટ શહેરના અનેક શહેરીજનોએ આયુષ્‍માનકાર્ડ કઢાવી સરકારની યોજનાનો લાભ લીધેલ તે ઉપરાંત ખિદમત ગ્રુપ ઘણી બધી માનવ સેવા અભિયાન ચલાવે છે આ સાથે મેડિકલ કેમ્‍પનું પણ આયોજન કરેલ આ કેમ્‍પના મુખ્‍ય આયોજકમાં શહેર ભાજપ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ શાહનવાઝ સીદીકી, અમમાર કાસમાની, વસીમ ચુડાવાળ, આશિફ કાસમની, સોહેલ અબ્‍દુલ કાદર, સોએબ કાલવાડીયા, હુજેફા એ.મજીદ, ડો. રૂકસાર ડોસાણી સાથે રહેલ આ કાર્યક્રમમાં ડો. ઋકમુદ્દીન કડીવાર, ભાવનાબેન લીડયા, મુસ્‍તુફભાઇ કચરા, અને અસ્‍લમભાઇ પાનવાલા હાજર રહેલ ત્‍યારની તસ્‍વીર

(3:59 pm IST)