Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

શહેરીજનોને રામનવમી પર્વની શુભકામનાઃ કમલેશ મિરાણી

રાજકોટ,તા. ૩૦:  શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુરએ શહેરીજનોને આજે  ગુરૂવારે મર્યાદા પુરૂષોતમ શ્રી રામની જન્‍મજયંતી એટલે કે રામનવમીની  શુભકામના પાઠવી છે.રામનવમી માત્ર શ્રી રામના જીવનની જ નહી પણ એક એવા પુત્રની પણ આપણને યાદ અપાવે છે, જેમાં એક વ્‍યકિતએ પિતા, માતા, ગુરૂ, પત્‍નિ, નાના ભાઈ ભાંડુ પ્રત્‍યેની ફરજો ઉપરાંત કુટુંબ તેમજ સમાજ પ્રત્‍યેની ફરજો નિષ્ઠાપૂર્વક બજાવવા સાથે એક મર્યાદા પુરૂષોતમ તરીકેનું એક પૂર્ણ પુરૂષનું જીવન વ્‍યતિત કર્યું. રામ અને કૃષ્‍ણ તો ભારતીય સંસ્‍કૃતિના આધારસ્‍તંભો છે. ‘મર્યાદા પુરૂષોતમ શ્રી રામ' ભારતવર્ષના હદયસિંહાસનમાં સદીઓથી બિરાજમાન છે. તેમ શુભેચ્‍છા પાઠવતા યાદીના અંતમાં જણાવ્‍યું છે.

(4:03 pm IST)