Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

કાલે બાળકોને વિનામૂલ્‍યે સુવર્ણપ્રાશન ડોઝ અપાશે

રાજકોટ તા. ૩૦ : સંસ્‍કૃતિ આર્ય ગુરૂકુલમ દ્વારા મંત્રૌષધિ સુવર્ણપ્રાશન મુવમેન્‍ટ અંતર્ગત કાલે ૩૧ માર્ચ શુક્રવારના રોજ સંસ્‍કૃતિ આર્ય ગુરૂકુલમ દ્વારા રાજકોટના ર૪ જેટલા કેન્‍દ્રો પર દર પુષ્‍ય નક્ષત્રના દિવસે અંદાજે ૧૦ હજારથી વધુ બાળકોને મંત્રૌષધિ સુવર્ણપ્રાશન આપવામાં આવશે.

જેમાં ખાસ કરીને હોલીસ્‍ટીક હીલિંગ સેન્‍ટર, પંચવટી કોમ્‍યુનિટી હોલ સામે, પંચવટી મેઇન રોડ રાજકોટ ખાતે સવારે ૧૦ થી ૧ર-૩૦ સુધી અને સંસ્‍કૃતિ ગર્ભ સંસ્‍કાર કેન્‍દ્ર, ૩૦૪, સોલિટેર બિલ્‍ડિંગ, જેડ બ્‍લુશો રૂમ પાસે, ૧પ૦ ફુટ રીંગ રોડ રાજકોટ ખાતે સવારે ૧૦ થી ૧ર-૩૦ દરમ્‍યાન વિનામુલ્‍યે મંત્રૌષાધિ સુવર્ણપ્રશાન પીવડાવવામાં આવશે.

(4:05 pm IST)