Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

અપહરણ-જાતિય ગુનામાં પકડાયેલ આરોપીને જામીન પર છોડવા હુકમ

રાજકોટ, તા.૩૦: રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ગુનાની કલમ- ૩૬૩, ૩૬૬ તથા જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અનિનીયમ ૨૦૧૨ની કલમ - ૮ તથા ૧૭ વિગેરે મુજબના ગુના જયુડીશીયલ કસ્ટડીમાં હોય તેઓએ જામીન ઉપર મુકત થવા માટે તેમના વકીલશ્રી મારફત અરજી દાખલ કોર્ટે અરજી મંજુર કરી હતી.

આ કામના આરોપી રાહુલ મનુભાઇ મકવાણાને પ્રેમસંબંધના લીધે ભોગ બનનારનું અપહરણ કરી ગોંધી રાખેલ હતી જેના આ કામના અરજદાર સાગર નારણભાઇ ચાવડાએ મદદગારી કરેલ હતી અને ગાંધીગ્રામ પોલીસ દ્વારા તા.૮-૯-૨૧ના રોજ ધરપકડ કરી જયુડીશ્યલ કસ્ટડીમાં મોકલેલ હતાં.

ત્યારબાદ આ કામના આરોપી સાગર નારણભાઇ ચાવડાના વકીલશ્રી દ્વારા જામીન અરજી ગુજારેલ જેમાં વકીલશ્રી મેઘરાજસિંહ એમ. ચુડાસમા તથા કિર્તિરાજસિંહ એચ.ઝાલાએ કરેલ દલીલ  ધ્યાને લઇને કોર્ટે જામીન અરજી મંજુર કરી હતી.

(4:22 pm IST)