Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

ધ્યાન મંદિરે ધ્યાનોત્સવઃ બાય...બાય.... ૨૦૨૦ વેલકમ ૨૦૨૧

આજે પુનમ તથા કાલે ૩૧ ડિસેમ્બર નિમિતે ઓશો સત્યપ્રકાશ

પુનમ કિર્તન ઉત્સવ, સંધ્યા સત્સંગ તથા અપ્યૌ દિપોભવ ધ્યાન વગેરે કાર્યક્રમોઃ માસ્ક, હેન્ડ સેનીટાઇઝર, સ્પેશ્યલ ડિસ્ટનન્સ સાથે કાર્યક્રમોનું આયોજન

રાજકોટઃ ઓશોના સુત્ર  ઉત્સવ આમારજાતી આનંદ આમાર ગૌત્રને સાર્થક કરતા વિવિધ કાર્યક્રમો જેવા કે ઓશો ધ્યાન શિબિરો ઓશો સાહિત્ય પ્રદર્શનો, ઓશો સન્યાસ ઉત્સવ ભજન-કિર્તન-ગીત-સંગીત વિવિધ સંપ્રદાયોનાં ઉત્સવો વિશ્વદિવસ  વગેરે રાજકોટમાં ૨૪ કલાક ઓશો કાર્યથી ધમધગતુ વિશ્વનું એક માત્ર ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે નિયમીત છેલ્લા ૩૫ વર્ષથી આયોજન કરવામાં આવે છે. જેનું સંચાલન સ્વામિ સત્યપ્રકાશ કરી રહયા છે.

આજે તા.૩૦ને બુધવારના રોજ પુનમ નિમિતે હરપુનમની માફક પુનમકિર્તન ધ્યાન સંધ્યા સત્સંગ તથા ૩૧ડિસેમ્બર ગુરૂવારને રોજ બાય....બાય ૨૦૨૦ વેલકમ ૨૦૨૧ ને વધાવવા આયોદીયોભવ ધ્યાનના કાર્યક્રમનું આયોજન સરકારી ગાઇડ લાઇન પ્રમાણે સાંજે ૬.૪૫ થી ૭.૪૫ દરમિયાન કરવામાં આવ્યું છે. જેની દરેક સાધકોઅ નોંધ લેવી.

સ્થળઃ ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રીજની બાજુમાં, ૪ વૈદ્યવાડી ડીમાર્ટની પાછળની શેરી, રાજકોટ

વિશેષ માહિતી માટેઃ સ્વામી સત્યપ્રકાશ મો.૯૪૨૭૨ ૫૪૨૭૬, સંજય રાઠોડ મો.૯૮૨૪૮ ૮૬૦૭૦

(3:42 pm IST)