Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

રાજકોટ જિલ્લાના અગ્રણી ખાચરીયાએ રસી મુકાવી

(નિતીન વસાણી) નવાગઢ તા ૩૧:  જીલ્લા ભાજપ પ્રમુખ  મનસુખભાઈ ખાચરીયાએ જેતપુર તાલુકા ના જેતલસર ગામે પી.એચ.સી સેન્ટરમાં ડો. કુલદીપ સાપરિયા અને ડો. નિલેશ કાછરીયાની હાજરીમાં કોરાના વેકસીન લીધી હતી. તેઓએ કહયું કે,હાલ વેકસીન જ કોરોનાને હરાવી શકે તેમ છે. કોરોના થી બચવા માટે અફવાઓથી દૂર રહી સ્વૈચ્છીક રીતે આગળ આવી સર્વે નાગરિકોને વેકસીન લેવા માટેની તેઓએ અપીલ કરી હતી.આવો રસીકરણ અભિયાનમાં જોડાઈએ અને સાથે મળી કોરોનાને હરાવીએ.વેકસીન  લીધા પછી પણ માસ્ક અને બે ગજની દુરી એટલી જ જરૂરી છે તેમ પણ જણાવ્યું હતુ.

(12:53 pm IST)