Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

કાલથી કર્ફયુનો સમય ૧ કલાક વહેલો થતા રાજકોટથી ઉપડતી-જતી ૧૫ જેટલી એસટી બસોને અસર થશેઃ સુરત-વડોદરા-નવસારી-અમદાવાદની તમામ બસો

કાલથી રાજકોટમાં રાત્રે ૯ વાગ્યે કર્ફયુ લાગી જશે. આ સંદર્ભે આજે સાંજ સુધીમાં રાજકોટ એસટી ડિવીઝન કચેરી-ડેપો દ્વારા ૧૫થી વધુ બસોના સમયપત્રક ફરશે અને ગંભીર અસર પણ થશે. ખાસ કરીને રાજકોટથી ઉપડતી-આવતી સુરત, વડોદરા, નવસારી, અમદાવાદની બસો ઉપરાંત રાજકોટ-લાલપુર બસનો ટાઈમ ફરશે. લાલપુરની બસ બપોરે ૩ વાગ્યે ઉપડે છે તે વહેલી ઉપાડાશે. સાંજે ડિવીઝન કચેરી જાહેર કરશે

(3:10 pm IST)