Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

પોખરણમાંથી ભાજપ જ ધડાકો કરી શકેઃકોંગે્રેસ પોખરામાં જ કરી શકે : વજુભાઇનો કટાક્ષ

સુશાસન દિવસના ઉજવણીના કાર્યક્રમમાં કર્ણાટકના પૂર્વ રાજયપાલ ખીલ્યા...

રાજકોટ તા.૩૧ : આજે ધર્મેન્દ્ર કોલેજ ખાતે યોજાયેલ સુશાસન દિવસ સમાપન સમારોહમાં ખાસ ઉપસ્થિત કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજુભાઇ વાળાએ પ્રાસંગીક ઉદ્દબોધન તેઓની મુળ શૈલીમાં આવી અને વિપક્ષ કોંગ્રેસ કટાક્ષનો મારો ચલાવ્યો હતો.

તેઓએ જણાવેલ કે પોખરણમાં સ્વ. અટલજીની સરકારે અણુ ધડાકાનો પ્રયોગ કર્યો ત્યારે કોંગ્રેસનાં મિત્રોને આ વાત હજમ થઇ ન હતી. કેમ કે તેઓમાં અણુ ધડાકા કરવાની ત્રેવડ ન હતી. તે ખુલ્લુ પડી ગયું... ઇં.. કરી...ને પોખરણમાં ભાજપ ધડાકો કરી શકે બાકી કોંગ્રેસ તો 'પોખરા' માં જ ધડાકા કરી શકે? આ સાંભળી સભા મંડપમાં હાસ્યની લહેર ફરી વળી હતી.

વધુમાં વજુભાઇએ જણાવેલ કે, અગાઉની કોંગ્રેસ સરકાર વખતે રાજકોટને લોનની સહાય મળતી હતી. આ તો હવે ભાજપનાં સુશાસનમાં ગ્રાન્ટનાં સ્વરૂપે કરોડો રૂપિયાની સહાય મળી રહી છે.

તેઓએ જણાવેલ કે રાજકોટે આજે મુખ્યમંત્રીનું જ નહીં પરંતુ ભાજપની નીતિઓ અને કાર્યકરોની પ્રજા પ્રત્યે  સેવાની કર્મનિષ્ઠાનું સન્માન કર્યુ છે.

અંતમાં તેઓએ શ્રોતાઓને અપીલ કરી હતી કે 'ચીન અને ઇમરાનખાનને સંભળાય તેટલાં જોશથી 'ભારત માતા કી જય બોલો..' 

(4:09 pm IST)