Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

વાવડીમાં વે બ્રીજમાં કોમ્પ્યુટર ઓપરેટર યુવાન ચિરાગનો ગળાફાંસો ખાઇ આપઘાત

વિશ્વકર્મા સોસાયટીનો ૨૦ વર્ષનો યુવાન ભટ્ટી પરવારનો આધારસ્તંભ હતોઃ નોકરી કરવા સાથે અભ્યાસ પણ કરતો હતોઃ કારણ જાણવા પોલીસ તપાસ યથાવત

રાજકોટ તા. ૩૧: ગોંડલ રોડ પર વાવડીમાં આવેલી એચ. આર. વે બ્રીજમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતાં વાવડીની વિશ્વકર્મા સોસાયટીમાં રહેતાં ચિરાગ અશોકભાઇ ભટ્ટી (ઉ.વ.૨૦) નામના યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

ચિરાગ વાવડીમાં પ્રશાંત કાસ્ટીંગ સામે આવેલા એચ. આર. વે બ્રીજમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરવા ઉપરાંત ધોરણ-૧૧માં અભ્યાસ પણ કરતો હતો. આજે સવારે નોકરી પર હતો ત્યારે બીજા કર્મચારીઓ ચા પીવા જતાં હોઇ ચિરાગે તેઓને 'તમે જાવ, હું હિસાબ કરીને આવુ છું' તેમ કહ્યું હતું. એ પછી બીજા કર્મચારીઓ ચા પીને પરત આવ્યા ત્યારે ચિરાગ લટકતો જોવા મળતાં સોૈ ચોંકી ગયા હતાં. બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

તે એક બહેનથી મોટો અને પરિવારનો એકનો એક પુત્ર હતો. બનાવનું કારણ બહાર ન આવતાં હેડકોન્સ. હરદેવસિંહ રાઠોડે તપાસ યથાવત રાખી છે.

(4:09 pm IST)