Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

માવતરનું ઘર તરછોડી કરિશ્મામાંથી ક્રિષ્ના બનેલી તળાજાની યુવતીને સાસરીયાએ કાઢી મુકી

ભાવનગર, તા.૧: આજથી છ વર્ષ પહેલાં માઢિયા રોડ પર રહેતી અને સાસરિયાએ અમાનુષી ત્રાસ ગુજારી કાઢી મુકતા તળાજા ખાતે માવતરના ઘેર રહેતી પરણીતાએ અમરેલીના કેસરિયા નાગેસ ખાતે રહેતા પોતાના પતિ, સાસુ અને સસરા વિરુદ્ઘ તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ક્રિષ્નાબેન જયરાજભાઈ માલા ઉ.વ.૨૪, રે.હાલ ખોજાવાડ,તળાજા નામની પરણીતાએ નોંધાવેલ ફરિયાદ માં છ વર્ષ પહેલાં ભાવનગરના માઢિયા રોડ પર માતા પિતા સાથે રહેતી હતી. એ સમયે અમરેલી જિલ્લાના કેસરિયા નાગસ ખાતે રહેતા કાઠી જયરાજ શૈલેષભાઈ માલા સાથે પ્રેમ સબંધ બંધાતા માવતરની વિરુદ્ઘ જઇ જયરાજ સાથે ભાગી ગયેલ. પિયરમાં નામ કરિશ્મા હતું. સાસરિયામાં આવી ક્રિષ્ના નામ રાખવામાં આવ્યું હતું.

પ્રેમ સબંધ માત્ર બાંધી લગ્ન ન કરી ને યુવતીએ એક દીકરી ને જન્મ આપ્યા બાદ ભાવનગર ખાતે આવી ગત.તા ૧૫/૩/૧૮ રોજ હિન્દૂ શાસ્ત્રોકત વિધિ પ્રમાણે બ્રાહ્મણ રાજેશભાઈ નંદલાલભાઈ દ્વારા લગ્ન કરાવવામાં આવ્યા હતા.પ્રેમ લગ્ન નું મેરેજ સર્ટી પણ કઢાવવામાં આવેલ.

પ્રેમ અને લગ્ન સ્વરૂપના ફળ સ્વરૂપે બીજી દીકરી અવતરતા સાસુ લીલાબા શૈલેષભાઈ માલા, સસરા શૈલેષ ખોડુંભાઈ માલા દ્વારા ત્રાસ આપવાનું શરૂ કરવામાં આવેલ. તારાથી માતાજી કોપાઈ માન છે એટલે દીકરીઓ અવતરે છે તેમ કહી મહેણાં ટોણા મારવામાં આવતા. જેની પાછળ પ્રેમાંધ બની ઘર છોડયૂ તે પતિ જયરાજને ફરિયાદ કરતા તે પણ ચારિત્ર્ય બાબતે શંકા કરી મૂંઢમાર મારતો હતો. સહન ન થાય તેવો ત્રાસ ગુજારવા લાગતા ગત.તા ૭/૧/૨૧ ના રોજ મહિલા હેલ્પ લાઈનમાં ફરિયાદ કરતા ફરજ પરના અધિકારી એ કરિશ્માના પિતાને બોલાવી સમાધાનના પ્રયત્નો કરેલ. પણ પતિ સહિત સાસુ સસરા રાખવા તૈયાર ન થતા ના છૂટકે પરણીતાને તળાજા ખાતે પિતાના ઘરે દીકરી ને લઈ આવવું પડેલ.

અહીં આવતા પતિ દ્વારા મોબાઈલ પર ધમકી આપવામાં આવેછેકે છૂટાછેડા આપી દે. નહિતર તળાજા આવી જાન થી મારી નાખીશ. જેને લઈ આજે પરણીતા એ પતિ,સાસુ અને સસરા વિરુદ્ઘ ફરિયાદ આપતા તળાજા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:55 am IST)