Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

અમરેલી નાગરિક સહકારી બેન્કમાં ૩.૨૦ કરોડનો નફો

અમરેલી નાગરિક સહકારી બેંકે વર્ષઃ ૨૦૨૦-૨૧માં બેંકીંગ ક્ષેત્રે ઉત્તમ ગ્રાહકલક્ષી સેવાઓ પુરી પાડવાનો હરહંમેશ પ્રયત્ન રહેલ છે. બેંકના તમામ ગ્રાહકો માટે બેંકની Mobaile  Application  દ્વારા RTGS/NEFT ની સેવા ચાલુ કરવામાં આવેલ છે. તેમજ ટુંક સમયમાં Application દ્વારા IMPSની સેવા પણ ચાલુ કરવામાં આવશે. જેના દ્વારા ગ્રાહક પોતાના બેંકના તમામ ગ્રાહકો માટેMisscall Alert ની સેવા ચાલુ છે જેના દ્વારા ગ્રાહક પોતાના ખાતામા રહેલ બેલેન્સ SMS દ્વારા મેળવી શકે છે જે સેવા માટે મોબાઈલ નંબરઃ ૯૯૦૯૯૨૭૩૧૦ રાખવામાં આવેલ છે.

 તારીખઃ ૩૧-૦૩-૨૦૨૧ ના રોજ બેંકની થાપણ રૂ.૧૬૮.૩૮ કરોડ છે. તારીખઃ ૩૧-૦૩-૨૦૨૧ના રોજ બેંકનું ધિરાણ રૂ.૭૦.૭૨ કરોડ થયેલ છે. ગત વર્ષે બેંકનો નફો રૂ. ૩.૦૯ કરોડનો હતો. જેમાં ચાલુ વર્ષે રૂ. ૧૧.૦૦ લાખનો વધારો થતા નફો રૂ. ૩.૨૦ કરોડનો થયેલ છે. આમ ચાલુ વર્ષ દરમ્યાન બેંકે પોતાની શ્રેષ્ઠતા સાબિત કરેલ છે.

 ચાલુ વર્ષે પણ બેંકની બને બ્રાંચો ચિતલ શાખા તથા માકટયાડ બ્રાંચ, ફતેપુરે નફો કરેલ છે. બેંકો માટે માથાના દુઃખાવા સમાન રીકવરી હોય છે. જેથી એન.પી.એ. વધતા જતા હોય છે. પરંતુ અમરેલી નાગરિક સહકારી બેંક લી. એ રીકવરી પર દેખરેખ રાખતા બેંકના પુર્વ ચેરમેન   પી.પી.સોજીત્રાની દેખરેખ નીચે બેંકનાં રીકવરી ઓફિસર  અજયભાઈ નાકરાણી અને તેમની ટીમે સતત ૧૯ માં વર્ષે નેટ NPA 0% અને ગ્રોસ NPA ૨.૭૭% જાળવીને છેલ્લા ૫૭ વર્ષથી જે સભાસદો, વેપારીઓ, ડિપોઝીટરો અને ખેડૂતોએ આ બેંક ઉપર મુકેલ વિશ્વાસ બેંકે જાળવી રાખેલ છે.

બેંક દ્વારા સભાસદોને ૧૫% ડીવીડન્ડ તેમજ સભાસદોને આકર્ષક ભેટ આપવામાં આવશે.

આમ અમરેલી નાગરિક સહકારી બેંક માત્ર બેંકીંગ કામકાજ કરતી બેંક નહી બનતા સમાજને ઉપયોગી બેંક બની છે. અને બેંકની ટીમ સમાજ પ્રત્યે કંઈક કરી છુટવાની ભાવના દર્શાવે છે.

આ ભગીરથ કાર્ય માટે બેંકના ચેરમેનશ્રી મતસુખભાઈ ધાનાણી, વાઈસ ચેરમેન ડો. ધનજીભાઈ સાપરીયા, મેનેજીંગ ડિરેકટર  પરેશભાઈ આચાર્ય, ડિરેકટર પી. પી. સોજીત્રા તેમજ સમગ્ર બોડ ઓફ ડિરેકટરઓ અને બેંકના આસી.મેનેજરશ્રી દિલીપ ધોરાજીયા, રીકવરી ઓફિસર અજયભાઈ નાકરાણી તેમજ આસી. રીકવરી ઓફીસર  નિતિનભાઈ ખીમાણી તથા સમગ્ર સ્ટાફની કાર્યક્ષમ કામગીરીને આભારી છે.

(11:38 am IST)