Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

જામનગરના અકિલાના પત્રકાર મુકુંદભાઈ બદીયાણી અને ફોટો જર્નાલીસ્ટ કિંજલભાઈ કારસરીયાએ કોરોના વેકસીન લીધીઃ લોકોને પણ વેકસીન લેવા અને કોરોનાને હરાવવા અપીલ કરી

જામનગરઃ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ મિડીયાના મિત્રોને કોવીડની રસી આપવા માટે આપેલી સૂચના અન્વયે જામનગર જિલ્લાના પત્રકારો માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ફાયર ઓફિસ જેએમસી ખાતે તા. ૩૧થી ૨ જી એપ્રિલ સુધી સવારે ૯.૩૦થી સાંજના ૫ વાગ્યા સુધી કોરોના રસી આપવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જે અંતર્ગત આજે પત્રકારોને ફ્રન્ટલાઈન વોરીયર્સ તરીકે ખાસ કિસ્સામાં જામનગરના અકિલાના પત્રકાર મુકુંદભાઈ બદિયાણી અને ફોટો જર્નાલીસ્ટ કિંજલભાઈ કારસરીયાએ કોવિડશિલ્ડ વેકસીન લીધી હતી અને લોકોને પણ સુરક્ષિત વેકસીન લઈને કોરોનાને હરાવવા માટે અપીલ કરી હતી.

(12:56 pm IST)