Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

મોરબીની કુબેરનગર સોસાયટીમાં અશાંતધારો લાગુ કરવા કલેકટરને રજૂઆત

મોરબી તા. ૧ : મોરબીના નવલખી રોડ પર આવેલી કુબેરનગર સોસાયટીના રહીશોએ કલેક્‍ટરને અશાંતધારો લાગુ કરવા લેખિત રજૂઆત કરી છે.

કુબેરનગર સોસાયટીના રહીશોએ કલેકટરને લેખિતમાં રજૂઆત કરી કે, આ વિસ્‍તાર હિંદુ બહુમતી ધરાવતો વિસ્‍તાર હોવાથી અશાંતધારા લાગુ થાય તે માટે અમોએ અરજી કરેલી છે પરંતુ આ અરજી હજુ સુધી પેન્‍ડિંગ છે. ત્‍યારે તાત્‍કાલિક અમારી સોસાયટીમાં અશાંતધારો લાગુ કરવાની માંગણી કરવામાં આવી હતી.

(2:10 pm IST)