Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

સરધારમાં કોમ્‍પ્‍લેક્ષના બીજા માળે અગાશી પર બેભાન થઇ જતા સુનીલ ઉર્ફે જીજ્ઞેશનું મોત

રાજકોટ તા. ૧ : સરધાર ગામમાં આવેલા રાધે ક્રિષ્‍ના કોમ્‍પ્‍લેક્ષના બીજા માળે અગાશી પર બેભાન થયા બાદ યુવાનનું મોત નિપજયું છે.
મળતી વિગત મુજબ સરધાર પ્‍લોટ વિસ્‍તારમાં એકલો રહેતો સુનીલ ઉર્ફે જીજ્ઞેશ ઉર્ફે જીગો હિતેશભાઇ પરમાર (ઉ.૩ર) ગઇકાલે ગામમાં આવેલ રાધે ક્રિષ્‍ના કોમ્‍પ્‍લેક્ષના બીજા માળે અગાશી પર હતો. ત્‍યારે એકાએક બેભાન થઇ ગયો હતો. કોઇએ અગાશી પર યુવાનને બેભાન પડેલો જોઇએ ૧૦૮માં જાણ કરવા ૧૦૮ ના ઇએમટી યાસીનભાઇએ સ્‍થળ પર પહોંચી તપાસ કરતા યુવાનનું મૃત્‍યુ નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી જાણ થતા આજીડેમ પોલીસ મથકના હેડ કોન્‍સ. વી.એસ.ગમારા સહિતે સ્‍થળ પર પહોંચી યુવાનના મૃતદેહેને ફોરેન્‍સીક પોસ્‍ટ મોર્ટમ માટે ખસેડાયો હતો.
મૃતક સુનીલ એકલો રહેતો અને છુટક મજુરી કામ કરતો હતો.

 

(11:48 am IST)