Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

સાળંગપુરમાં ૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજનો જન્‍મદિવસ ઉજવાશે : પૂ. ગોપાળાનંદ સ્‍વામી યાત્રિક ભવનનું ખાતુમુહૂર્ત :

 

વાંકાનેર,તા. ૧ : સાળગપુરધામ : બોટાદ જિલ્લાના જગ વિખ્‍યાત એવા સાળંગપુરધામમાં આવેલ સૌનું આસ્‍થાનું પ્રતીક શ્રદ્ધા કા દૂસરા નામ સાળંગપુરમા આવેલ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર ખાતે શાષાી સ્‍વામીશ્રી હરીપ્રકાશદાસજી સ્‍વામી આયોજીત આગામી તા.૩ ને બુધવારે  સાળગપૂરધામના આંગણે શ્રી લક્ષમીનારાયણદેવ ગાદી પીઠધીપત્તિ પરમ પૂજ્‍ય ધર્મ ધુરંધર ૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રીનો (૫૬ મોં જન્‍મોત્‍સવ) એવમ સદગુરૂ યોગીવર્ય શ્રી ગોપાળાનંદ સ્‍વામી યાંત્રિક ભવન ખાતમુર્હુત જે સવારે ૮.૩૦ થી ૧૧.૩૦ દરમ્‍યાન ભક્‍તિમયના દિવ્‍ય માહોલ વચ્‍ચે કરવામાં આવશે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર, સાળગપૂરધામમા સુકીતનો સાક્ષાત અનુભવ કરી રહયા છીએ ભક્‍તોની શ્રદ્ધા વધતા પ, પુ, ધ, ધૂ ૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રીના રૂડા આશીર્વાદથી તથા વડતાલ મેનેજીંગ ટ્રષ્ટીબોર્ડના સંપૂર્ણ સાથ સહકારથી તૅમજ ગુરૂ પ પુ પુરાણી શ્રી વિષ્‍ણુપ્રકાશદાસજી સ્‍વામી તૅમજ વડીલ સંતોની અમીદ્રષ્ટિથી ભવ્‍ય નૂતન ભોજનાલય નિર્માણ થઈ રહેલ છે સાથે સાથે ભક્‍તોની શ્રદ્ધામા વધારો થાય તેવા હેતુથી ૅ નૂતન સદગુરૂ યોગીવર્ય શ્રી ગોપાળાનંદ સ્‍વામી યાંત્રિક ભવનનુ ખાત મુર્હુત થનાર છે. આ પ્રંસગે સમગ્ર સૌરાષ્‍ટ્ર, ગુજરાત, ગીર પંથક તૅમજ અનેક જગ્‍યાએથી પૂજનીય સંતો પધારશે કચ્‍છમાંથી પણ સંતો પધારશે ગઢપુરધામ ના મહાનભાવ સંતો , જૂનાગઢ ધામના મહાનુભાવ સંતો, ઉપસ્‍થિત મંદિરના પૂજ્‍ય કોઠારીશ્રી, પૂજ્‍ય અથાળાવાળા સ્‍વામીનું સંત મંડળ, વડતાલ મેનેજીંગ ટ્રષ્ટિ બોર્ડ, જૂનાગઢ મેનેજીંગ ટ્રષ્ટિ બોર્ડ, તૅમજ અનેક જગ્‍યાએથી વિશાળ સંખ્‍યામા આ પ્રંસગે સંતો, ભક્‍તો, મહાનુભાવો ઉપસ્‍થિત રહેનાર છે યાંત્રિક ભવન ખાતમુર્હુત જેના મુખ્‍ય યજમાન અ, ની, શ્રી અંબાલાલ શિવાભાઈ પટેલ પરિવાર, સહ યજમાન શેઠ, ધનજીભાઈ જશમતભાઈ રાખોલીયા (અકાલ), જયનીલ પરેશભાઈ રાખોલિયા, કીશીવ હરિકળષ્‍ણભાઈ રાખોલીયા, શ્રી કાંતાબેન બાબુભાઈ ચૌહાણ, વિનુભાઈ, નિલેશભાઈ અને કમલેશભાઈ, સ્‍મિત, રવિ, યશ, નીલકંઠ, ક્રિષ્‍ના છે આ પ્રંસગે સાખય યોગી બહેનો ગુજરાતભરમાંથી આવશે. કોઠારી સ્‍વામીશ્રી વિવેકસાગરદાસજી સ્‍વામીની યાદીમાં જણાવાયું છે.

(11:49 am IST)