Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

મોરબીના રામધન આશ્રમે બજરંગદાસ બાપા મૂર્તિની પ્રાણ પ્રતિષ્‍ઠા

   મોરબી : મહેન્‍દ્ર નગર પાસે આવેલ રામધન આશ્રમ ખાતે સંત શિરોમણી બજરંગ દાસ બાપાની મુર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી. આ પ્રસંગે યજ્ઞ, મહાપ્રસાદ, ધુન-ભજન સહિતના કાર્યકમો યોજાયા. મહેન્‍દ્રનગર ધાયડી પાસે ધુટુ રોડ પર સંત શિરોમણી બજરંગદાસ બાપાની આજથી ૧૬ વર્ષ પહેલા ભક્‍તોએ મઢુલી બનાવી પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી.અને સેવા પૂજા કરતા હતા.પરંતુ તાજેતરમાં સરકાર દ્વારા અહી ઓવરબ્રિજ મંજુર કરતા આ મઢુલી તુટમાં જતી હતી. જેથી સૌ ભકતજનોએ સરકારની વાત સ્‍વીકારી સ્‍વેચ્‍છાએ બાપાની મૂર્તિ અને સ્‍થળ પધરાવવા સહેમત થતાં અને ત્‍યાં જગ્‍યા ખુલી કરી આપવા નિર્ણય લઈ રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજીને મૂતિ રામધન આશ્રમમાં પધરાવવા વાત મુકતા માતાજીએ આ વાત સહર્ષ વધાવી લીધી હતી. અને સાત દિવસમાં રામધન આશ્રમ ખાતે બાપાની મઢુલીનું નિમાર્ણ થયું હતું. અને સંત શિરોમણી બજરંગ દાસ બાપાની મૂતિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ પ્રસંગે સવારે યજ્ઞ,સંતોનું સન્‍માન ,મહા-પ્રસાદ અને રાત્રે સંતવાણી નું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું હતું. આ તકે સંત ભૂપતબાપુ કાગદડી આશ્રમ, રતનેશ્વરીબેન, સહિતના સંતો -મહંત ઉપસ્‍થિત રહ્યા હતા. આ કાર્યકમને સફળ બનાવવા દેવકરણભાઈ કરશનભાઈ, ભુદરભાઈ, પોપટભાઈ, ઓડીયાસાહેબ, તેમજ ધુનમંડળના ત્રિભોવનભાઈ,રામજીભાઈ,ચુનીભાઈ, રૂગનાથભાઈ, દિલીપભાઈ, મહેશ મહારાજ, સહિતનાએ  જહેમત ઉઠાવી હતી.તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવાયું છે.

(1:38 pm IST)