Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

જામનગરનાં શિવમંદિરોમાં શ્રાવણનાં પ્રથમ સોમવારે ભાવિકોની ભીડ

જામનગર : છોટા કાશી ગણાતા જામનગરમાં પવિત્ર શ્રાવણ માસનાં પ્રથમ સોમવારે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, ભીડભંજન મહાદેવ મંદિર, સિધ્‍ધનાથ મહાદેવ મંદિર અને નાગેશ્વર મહાદેવ મંદિરસહિતના શિવાલયોમાં સવારથી જ ભાવિકોની ભીડ જોવા મળી હતી. પવિત્ર શ્રાવણ માસ નિમિતે જામનગરનાં શિવાલયમાં ભકતો દ્વારા જળાભિષેક દુગ્‍ધાભિષેક અને બીલીપત્ર દ્વારા મહાદેવ ઉપર અર્પણ કરવામાં પણ આવી રહયા હતા અને સવારથી જ જીવને શિવનું મિલન જામનગરના શિવાલયમાં જોવા મળ્‍યું હતુ. (અહેવાલ મુકુંદ બદિયાણી - તસ્‍વીરો : કિંજલ કારસરીયા - જામનગર)

(1:44 pm IST)