Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

જયરાજસિંહ જાડેજા પરીવાર દ્વારા થેલેસેમિયા પીડીત બાળાને દતક લેવાઇ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૨ : યુવા ભાજપ દ્વારા યોજાયેલ મહારકતદાન કેમ્પમાં પુર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પરીવાર દ્વારા તાલુકાના મોટી ખિલોરી રહેતી દિપા દિપકભાઇ પરમાર નામની સાત વર્ષની બાળાને દતક લેવાઇ હતી.માશુમ દિપા છેલ્લા છ વર્ષથી થેલેસેમિયાથી પીડાઇ છે. દર મહિને લોહીની જરૂર પડતી હોય ગૌ સેવક ગોરધનભાઈ પરડવાએ રકતદાન કેમ્પમાં જયરાજસિંહને વિગત જણાવતાં જયરાજસિંહ તથા તેમનાં પુત્ર જયોતિરાદિત્યસિંહ દ્વારા દર મહિને રકતની જવાબદારી સ્વીકારી બાળાને દતક લેવાઇ હતી.

દિપાના પિતા મજુરીકામ કરે છે. આ શ્રમજીવી પરીવારમાં ત્રણ દિકરીઓ પૈકી દિપા બીજા નંબરની છે. પરીવારમાં કમાનાર માત્ર દિપકભાઇ હોય દર મહિને માસુમ દિકરી માટે લોહી શોધવું મુશ્કેલ હોય લાચાર સ્થિતીમાં જયોતિરાદિત્યસિંહનાં જન્મ દિવસ નિમિત્તે યોજાયેલ મહા રકતદાન કેમ્પ બાળકી માટે આશિર્વાદરૂપ બન્યો હતો.

(11:49 am IST)