Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

વાંકાનેરમા સ્‍વયંભુશ્રી નીલકંઠ મહાદેવજીની શોભાયાત્રાઃ પુષ્‍પોના અનોખા શણગાર

 વાંકાનેરઃ ગઢની રાંગ પાસે આવેલ પૌરાણિક શિવ મંદિર શ્રી સ્‍વયંભુ નીલકંઠ મહાદેવ મંદિર ખાતે શ્રાવણમાસના પ્રથમ સોમવારે સાંજે નિજ મંદિરમા અનોખા ફૂલોનાં શણગાર દર્શન રાખેલ હતા તૅમજ દીપમાળા સાથે સંધ્‍યા આરતી ઢોલ, નગારા અને સંખોથી ભકિતમયના દિવ્‍ય માહોલ વચ્‍ચે કરવામાં આવેલ હતી આ ઉપરાંત શ્રાવણમાસના પ્રથમ સોમવારે સવારે ૧૦:૩૦ કલાકે વાજતે ગાજતે શ્રી નીલકંઠ મહાદેવજીની પાલખી (શોભાયાત્રા) નીકળેલ હતી જેમાં હર હર મહાદેવના નારા સાથે આ વિસ્‍તારમા પરીભ્રમણ કરી શ્રી નીલકંઠ મહાદેવ ખાતે પહોંચેલ હતી જ્‍યાં દાદાની મહાઆરતી કરવામાં આવેલ હતી શ્રાવણમાસના પ્રથમ સોમવારે સ્‍વયંભુ શ્રી નીલકંઠ મહાદેવદાદાના દર્શનનો વિશાળ સંખ્‍યામા ભાવિક, ભકતજનોએ લાભ લીધેલ હતો.

(11:53 am IST)