Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

ખંભાળિયા- ગ્રામ્‍ય વિસ્‍તારોના શિવ મંદિરોમાં ઘી ની મહાપુજામાં ભાવિકો જોડાયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.ર : શહેર તથા ગ્રામ્‍ય પંથકના શિવમંદિરોમાં શ્રાવણ માસના સોમવારે ભાવિકો દર્શન માટે ઉમટયા હતા.

ખામનાથ મહાદેવ, શરણેશ્વર, પાળેશ્વર તથા રામનાથ મહાદેવ મંદિરે ઘી ની મહાપુજામાં શ્રી ગણેશ તથા રિધ્‍ધિ સિધ્‍ધિના ભવ્‍ય દર્શન યોજાયા હતા તથા સા઼જે નગારા ઢોલ તથા ઘંટનાદ સાથેની લાંબો સમય ચાલતી આરતી પણ ભાવિકો મોટી સંખ્‍યામાં જોડાયા હતા. ગ્રામ્‍ય પંથકના શિવમંદિરો તથા શહેરમાં પણ ભાવિકો ઉમટયા હતા.

(1:39 pm IST)