Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

માળીયાના જુના ઘાંટિલા ગામે દુધેશ્વર મહાદેવ મંદિરમાં ધાર્મિક કાર્યક્રમમાં રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા ઉપસ્થિત

મંત્રીએ શ્રાવણ માસ નિમિતે શંકર ભગવાનના ચરણોમાં શીશ જુકાવી જન કલ્યાણ માટે પ્રાર્થના કરી

મોરબી : માળીયાના જુના ઘાંટિલા ગામ ખાતેના દુધેશ્વર મહાદેવ મંદિર શક્તિ યુવા ગૃપ દ્વારા આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા ઉપસ્થિત રહ્યા હતા. જે કાર્યક્રમ અંતર્ગત મંત્રીએ શ્રાવણ માસ નિમિતે શંકર ભગવાનના ચરણોમાં શીશ જુકાવી જન કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.

આ કાર્યક્રમમાં સહકારી અગ્રણી મગનભાઈ વડાવીયા, શક્તિ યુવા ગૃપના સંયોજક  નિકુંજભાઈ વીડજા, જુના ઘાંટીલા ગામના સરપંચ ઉમેશભાઈ જાકાસણીયા, અગ્રણી  કેતનભાઇ વિડજા, અમુભાઈ વિડજા, સુભાષભાઈ પડસુંબીયા, સવજીભાઈ કેરાલીયા સહિત ઘાંટીલાના ગ્રામજનો તેમજ આસપાસના ગામમાંથી આવેલા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

(12:04 am IST)