Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

મેઘાનો આજે પણ વિરામઃ તળાજા, રાપરમાં ૧ ઇંચ : પાલીતાણા, ભાવનગર, શિહોરમાં માત્ર ઝાપટા

રાજકોટ, તા. રઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મેઘ વિરામ આજે પણ યથાવત છે. સામાન્ય હળવો વરસાદ પાંચ તાલુકાઓમાં વરસ્યો છે.

છેલ્લા ર૪ કલાક દરમિયાન ભાવનગર જીલ્લાના તળાજા અને કચ્છના રાપરમાં એક-એક ઇંચ વરસાદ પડયો છે.

જયારે ભાવનગર જીલ્લાના પાલીતાણા, ભાવનગર શહેર અને શિહોરમાં વરસાદી ઝાપટા પડયા છે.

આજે પણ વરાપ યથાવત છે અને ખેડૂતો ખેતીકાર્યમાં વ્યસ્ત છે.

(11:34 am IST)