Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

કચ્છ અને જામનગર જીલ્લામાં ફરીથી ભૂકંપના આંચકા

કચ્છના દુધઈમાં ૪.૧ની તીવ્રતાનો ભૂકંપ : જામનગરના લાલપુરમાં ૨.૦ ની તીવ્રતાથી ધરા ધ્રુજી

રાજકોટ,તા.૨ : આજે કચ્છ અને જામનગર જિલ્લામાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરના અહેવાલમાં જણાવાયું છે કે આજે સવારે ૬:૫૬ વાગ્યે જામનગર જિલ્લાના લાલપુર થી ૧૦ કિલોમીટર દૂર દક્ષિણ દિશા તરફ ૨.૦ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જયારે કચ્છના દુધઈમા આજે બપોરે ૨: ૦૯ વાગ્યે ૪.૧ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જેનું કેન્દ્ર બિંદુ દુધઇ થી ૭ કિલોમીટર દૂર પૂર્વ દિશા તરફ હોવાનું જાણવા મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લાના લાલપુરમાં છેલ્લા ઘણા દિવસોથી ભૂકંપના હળવા આંચકા અનુભવાઈ રહ્યા છે.

(3:19 pm IST)