Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

જુનાગઢમાં ગિરીશભાઇ કોટેચા પરિવાર દિપાવલી પર્વની અનોખી રીતે ઉજવણી કરશે

પુત્રવધુ અને પત્નિઓને લક્ષ્મી સ્વરૂપ માની કરશે પુજનઃ વર્ષોથી પુજન કરાય છે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.ર : જુનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર અને રઘુવીર સેનાના સુપ્રીમો ગિરીશભાઇ કોટેચા ગુરૂવારે સવારે ૯-૩૦ કલાકે તેમના ગિરનાર દરવાજા સ્થિત ગિરીરાજવીલા બંગલા ખાતે દિપાવલી પર્વની અનોખી રીતે ઉજવણી કરશે.

જેમાં ગીરીશભાઇ કોટેચા તેમના ધર્મપત્નિ ગીતાબેન કોટેચા તેમજ તેમના પુત્ર પાર્થ કોટેચા તેમના પત્ની ચાંદનીબેનની તથા ધફર્નલિયોરિસોર્ટના માલિક  વિપુલભાઇ કોટેચા (તેમના પત્ની રેશ્માબેન કોટેચાનુ઼ લક્ષ્મી સ્વરૂપમાની પુજન કરશે આ પ્રસંગે સમગ્ર કોટેચા પરિવાર દ્વારા પુત્રવધુ અને પત્નિઓનું પુજન કરી સમાજને અનોખો રાહ ચીંધે છ.ે

ગીરીશ કોટેચાએ જણાવ્યું હતું કે ઘરમાં સ્ત્રીઓને લક્ષ્મી સ્વરૂપ માનવાથી કયારેય સંકટ આવતુ નથી અને લક્ષ્મીજીનો ઘરમાં કાયમ વાસ રહે છે અમારા કોટેચા પરિવાર દ્વારા છેલ્લા દશવર્ષથી પરિવારની પુત્રવધુ પત્નિઓનું દિપાવલી પર્વે પુજન કરવામાં આવે છે અત્રે ઉલ્લેખનીય છે કે રાજય સરકાર દ્વારા પણ સ્ત્રી શકિતને પ્રોત્સાહન આપવા સ્ત્રી શશકિતકરણ દ્વારા અનેક કાર્યક્રમો યોજાય છે. ત્યારે આ કોટેચા પરિવાર તો વર્ષોથી સમાજને એક નવો રાહ ચિંધતો આવ્યો છ.ે

(1:14 pm IST)