Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

મોરબી મચ્છુ નદી ઝુલતા પૂલ દુર્ઘટના નાં મૃતકોને શ્રધ્દ્ધાંજલિ પાઠવતા સાંસદ વિનોદભાઈ ચાવડા

(વિનોદ ગાલા દ્વારા)ભુજતા.૨

 મોરબી માં ઝુલતા પૂલની સર્જાયેલી દુર્ઘટના હદયદ્રાવ્યક હતી દુર્ઘટના નાં સમાચાર મળતા સાંસદશ્રી તથા ગુજરાત પ્રદેશ ભાજપાના મહામંત્રીશ્રી વિનોદભાઈ ચાવડા ઘડીનો પણ વિલંબ કર્યા વગર મોરબી પહોંચી બચાવ અને સેવા કાર્યોમાં જોડાયા હતા, 

આ ઘટનાને દુઃખદ ગણાવતા મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો ને સાંત્વતા પાઠવી હતી, હોસ્પિટલમાં ભાજપા સતાધીશો તથા પધાધિકારીઓ સાથે ઉપસ્થિત રહી ઘાયલો ને થતી સારવાર ની સમીક્ષા કરી હતી. બચાવ કાર્યમાં જોડાયેલા મોરબી નગરજનો તથા પ્રવાશીઓ તાત્કાલિક બચાવ કાર્ય થકી ઘણા લોકોને જીવનદાન મળ્યું હતું તેમ જણાવતા સાંસદે પૂલ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર દિવંગતોની આત્માને ભારે હદય શ્રધ્દ્ધાંજલિ પાઠવી હતી. અને મૃતકોના પરિવારજનો ને સાંત્વના પાઠવી હતી.

(10:45 am IST)