Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

ગોંડલ શહેર શ્રી રામાનંદી સાધુ જ્ઞાતિ સમાજ ‘સ્નેહભાવ મિલન’

(જયસ્વાલ ન્યુઝ દ્વારા) ગોડલ તા. ર :.. શ્રી સંતોષી માતાજી મંદિર મોવિયા મહંત શ્રી ચંદ્રેશબાપુ નિરંજની તથા પુજારી શ્રી મીનાબેન નિરંજની પરિવારની શુભ પ્રેરણા તથા સંપૂર્ણ સહયોગદાનથી નવાગામ ભાટીયા વાડી કૈલાશબાગ ખાતે શહેર રામાનંદી જ્ઞાતિ સમાજના પરિવારજનોનું નુતન વર્ષ પ્રારંભે ‘સ્નેહભાવ મિલન’ નું આયોજન કરાયુ હતું.
કાર્યક્રમમાં શ્રી અતુલબાપુ લશ્કરી (શ્રી નૃસિંહ મંદિર), તુલસીદાસબાપુ નિરંજની, ડો. જીજ્ઞેશભાઇ અગ્રાવત, રાજુબાપુ અગ્રાવત, (તરકોશી હનુમાનજી), ચંદ્રબાપુ અગ્રાવત (ટીફીન સેવા), મનસુખભાઇ અગ્રાવત (જ્ઞાતી અગ્રણી), તેમજ નામી અનામી અનેક સંતો - મહંતોઍ પરિવારજનો સહિત બહોળી સંખ્યામાં હાજરી આપી, શુભેચ્છા, આશીર્વચનો પાઠવેલ આ પ્રસંગે માનનીય ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહજી જાડેજાના પ્રતિનીધી તરીકે તેમના પુત્ર જયોતિરાદિત્યસિંહજી જાડેજા (યુવા અગ્રણી) તેમજ મા. યાર્ડ ચેરમેન અલ્પેશભાઇ ઢોલરીયા ઉપસ્થિત રહી સાધુ સમાજને પ્રોત્સાહીત કરી સાધુ સંતોના આશીર્વાદ મેળવેલ હતાં.

 

(10:42 am IST)