Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

મોરબી બાર એસો.નો મહત્‍વનો નિર્ણયઃ દુર્ઘટનાના આરોપીનો કેસ નહિ લડે

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા. ૨: મોરબી પુલ દુર્ઘટનામાં ૧૩૬ જેટલા નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાયો છે અને સમગ્ર મોરબી પંથક શોકમાં ગરકાવ થયું છે લોકોમાં દુર્ઘટનાથી રોષની લાગણી પણ ભભૂકી છે ત્‍યારે મોરબી દુર્ઘટનાના આરોપીઓનો કેસ નહિ લડવા મોરબી બાર એસો દ્વારા નિર્ણય કરવામાં આવ્‍યો છે
મોરબી બાર એસોના પ્રમુખ જીતુભા જાડેજાએ માહિતી આપતા જણાવ્‍યું છે કે મોરબી બાર એસો દ્વારા દુર્ઘટનાના આરોપીઓનો કેસ નહિ લડવા માટે નિર્ણય કરવામાં આવ્‍યો છે જે અંગે આવતીકાલે ઠરાવ કરવામાં આવશે અને મોરબીના વકીલો આરોપીઓનો કેસ ના લડે તેવું નક્કી કરવામાં આવ્‍યું છ.

 

(10:53 am IST)