Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

ભાવનગરમાં સરકારી કચેરીમાં રાજકીય શોક સાથે પ્રાર્થનાસભા

ભાવનગર તા.૨: મોરબીમાં બનેલી ઝૂલતા પુલની દુર્ઘટનાને પગલે રાજકીય શોક જાહેર કરવામાં આવેલ છે ત્યારે ભાવનગરમાં સરકારી કચેરીમાં ­ાર્થના સભાનું આયોજન કરવામાં આવશે.
આ ઉપરાંત નિયમિતપણે રાષ્ટ્રધ્વજ જે ઇમારતો પર લહેરાવવામાં આવતો હોય ત્યાં અડધી કાઠીઍ રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવશે તેમજ તા. ૨/૧૧/૨૦૨૨ ના રોજ કોઈ સરકારી જાહેર સમારંભો, સત્કાર સમારોહ કે મનોરંજન કાર્યક્રમનું આયોજન થશે નહીં.  આ ઉપરાંત તમામ ગામડા, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં મોરબીની બ્રિજ દુર્ઘટનામાં દિવંગત આત્માની શાંતિ માટે ­ાર્થના સભાનું આયોજન કરવામાં આવશે.

 

(11:22 am IST)