Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

જામકંડોરણામાં શનિવારની ચાર દિવસનો હઝરત મોટાપીરનો ઉર્ષ ઉજવાશે

(મનસુખભાઇ બાલધા દ્વારા) જામકંડોરણા,તા. ૨ : હઝરત મોટાપીર સાહેબનો ઉર્ષ મુબારક તા.૫/૧૧/૨૦૨૨ શનિવારથી તા. ૮/૧૧/૨૦૨૨ મંગળવાર સુધી ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ત્રણ દિવસ બપોરે ૧૨:૩૦ કલાકે તથા સાંજે ૭:૩૦ કલાકે આમન્યાજ રાખવામાં આવેલ છે. તેમજ તા. ૫ને શનિવારે સવારે ૫ કલાકે સંદલપોશી અને રવિવારે બપોરે ૩ કલાકે મોટાપીર સાહેબની દરગાહથી મેઇન બજાર, ધોરાજી નાકા થઇ મોટા પીરસાહેબની દરગાહ સાહેબ જાશીલી જબાનમાં શાનદાર તકરીર ફરમાવશે તથા નાતખ્વા હઝરત પીરે તરીકત હાજી આલમબાપુ મોરબી તથા ધોરાજીના નાતખ્વા હઝરત હનીફભાઇ બ્લોચ નાત શરીફ ફરમાવશે. આ ઉર્ષ શરીફમાં હિન્દુ, મુસ્લિમ દરેક ભાઇ, બહેનોઍ લાભ લેવા હઝરત મોટાપીર સાહેબના ગાદી નશીન હાજી અબ્દુલ્લાહ હાજી વલીમોહંમદઍ આમંત્રણ પાઠવેલ છે.

 

(12:13 pm IST)