Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

મોરબી ‘પુલ' હોનારાતનાં મૃતકોને શ્રધ્‍ધાંજલી અર્પીને ચરાડવામાં પૂ.દયાનંદગીરીજી મહારાજના સાનિધ્‍યમાં ભાગવત સપ્‍તાહનો પ્રારંભ

દરરોજ સવારે અને બપોરે કચ્‍છના કથાકાર પૂ.કશ્‍યપભાઈ જોશી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશેઃ લોકડાયરા- રાસગરબાની રમઝટ બોલશે

રાજકોટઃ મોરબી જીલ્લાનાં હળવદ તાલુકાનાં ચરાડવામાં આવેલ શ્રી મહાકાળી આશ્રમ ખાતે શ્રી મહાકાળી માતાજીના સાનિધ્‍યમાં ગુરૂવર્ય પૂ.દયાનંદગીરીજી મહારાજના અધ્‍યક્ષ સ્‍થાને તા. ર-૧૧થી તા. ૮-૧૧ સુધી શ્રીમદ્‌્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ તથા વિષ્‍ણુયાગનું આયોજન કરવામાં આવ્‍યુ છે. જેના વ્‍યાસાસને કચ્‍છનાં કથાકાર પૂ. કશ્‍યપભાઇ જોશી બિરાજીને દરરોજ સવારે ૯ થી ૧ર અને બપોરના ૩ થી સાંજના ૬ વાગ્‍યા સુધી રસપાન કરાવશે. આજે સવારે પૂ.દયાનંદગીરીજી મહારાજની અધ્‍યક્ષતામાં શ્રીમદ્દ ભાગવત કથાનો પ્રારંભ થયો છે અને પ્રારંભે મોરબી પુલ હોનારતના મૃતકોને શ્રધ્‍ધાંજલી અપાઈ હતી.
 કથા દરમિયાન દરરોજ બપોરે ૧ર વાગ્‍યે ભાવિકો માટે મહાપ્રસાદનું આયોજન કરાયુ છે.
અખિલ બ્રહ્માંડના નાથ ભગવાન શ્રી દ્વારકાધીશ અણદિઠ, અણ અનુભૂત એવુ વ્‍યાપક નિર્લય બ્રહ્મતત્‍વ આ પૃથ્‍વી ઉપર યુગે-યુગે અવતરે એ ઘટના ભારત વર્ષમાં જ સંભવિત છે. એવા નૃસિંહ, રામ-કૃષ્‍ણ ઇત્‍યાદીના દિવ્‍ય અવતરણની પુણ્‍ય પ્રદાયિની સર્વજીવને પ્રેમ શાંતિ મુકિત તરફ લઇ જનારી શ્રવણ-કિર્તન ભજનથી પ્રભુ સાથે એકાકાર કરનારી વારંવાર રસપાન કરીએ તરસ ઉત્‍પન્ન કરનાર ‘શ્રીમદ્‌્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ તથા વિષ્‍ણુયાગ' નું કરૂણાનિધી શ્રી દ્વારકાધીશ ભગવાન તેમજ શ્રી મહાકાળી પરમબાની અસીમ કૃપાથી સમસ્‍ત વિસ્‍તારને ઉજજવલ કરનાર. સત્‌માર્ગ પ્રદર્શક સંતશ્રી કરૂણાનિધી પં. પૂજય પ્રાંત સ્‍મરણીય શ્રી દયાનંદગીરીજી મહારાજ તેમજ પરમ શિષ્‍ય શ્રી અમરગીરીજી મહારાજ તથા સર્વે શિષ્‍ય તેમજ ભકતગણના સાથ સહકારથી પ્રેરાઇને શ્રી મહાકાળી આશ્રમ (ચરાડવા) મધ્‍યે શ્રીમદ્‌્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ તથા વિષ્‍ણુ યાગનું આયોજન કરેલ છે. આ ધાર્મિક પ્રસંગે કથાનું રસપાન કરવા સર્વે ભકતજન તથા મિત્ર મંડળને પધારવા ભાવભર્યુ આમંત્રણ છે. આ શુભ પ્રસંગે સિધ્‍ધ-પ્રસિધ્‍ધ સંતો-મહંતો, મહાનુભાવો પધારી કથા પ્રસંગની શોભા વધારશે.
કથા મહોત્‍સવના એનાઉન્‍સર તરીકે ટીવી, ગાયક, એન્‍કર સંગીત કલાગુરૂ શૈલેષભાઇ સી. રાવલ (શ્રી હંસદ્વની સંગીત  એકેડેમી - મોરબી) સેવા આપશે.
ભાવિકોને કથાનો લાભ લેવા. ગુરૂવર્ય શ્રી દયાનંદગીરીજી મહારાજ તથા ભકતજનો દ્વારા આમંત્રણ પાઠવાયું છે. (૩૦.૭)

સંપર્ક સૂત્ર
રાજકોટ : ચરાડવા ખાતે કચ્‍છના કથાકાર પૂ. કશ્‍યપભાઇ જોશીના વ્‍યાસાસને આયોજીત કથા અંગેની વધુ માહિતીની માટે નીચેના નંબર ઉપર સંપર્ક કરી શકાય છ.ે
મનસુખભાઇ બચુભાઇ પટેલ (ચરાડવા) ૯૮રપ૬ ૪૧૬પ૧, વનરાજસિંહ વાઘજીભાઇ પઢીયાર (ચરાડવા) ૯૭૧ર૩ પ૧પ૧૩, પ્રવિણભાઇ મગનભાઇ બાવરવા (ગોકુળીયા) ૯૪ર૮૭ ર૦૩રપ, વાસુદેવભાઇ રૂગનાથભાઇ હડીયલ (ચરાડવા) ૯૯૦૯૩ ૦૯૮૩૧, ચિન્‍ટુભાઇ દિપકસિંહ ઝાલા (ચરાડવા) ૮૧૪૦ર ૯પ૦૩૯, રાજુભાઇ વેલજીભાઇ પિત્રોડા (ચરાડવા) ૯૧૦૬૬ ૩ર૭૧૬, અમરતભાઇ લાલજીભાઇ પટેલ (ચરાડવા) ૬૩પ૩૮ ૩પ૩પ૯, રમેશભાઇ પિતાંબરભાઇ સોનાગ્રા (ચરાડવા) ૯૯રપ૪ ૭ર૧૭૧

 

(11:50 am IST)