Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

ધોરાજીના રામજીભાઇ વાઘેલાનું ચક્ષુદાન કરાયું

ધોરાજી તા. ૨ : રામપરા વિસ્તારના રામજીભાઇ કાનજીભાઇ વાઘેલા ઉ.વ.૬૦નું અવસાન થતાં તેમના પરીવારજનોઍ માનવ સેવા યુવક મંડળના ભોલાભાઇ સોલંકી અને ધર્મેન્દ્ર બાબરીયાને ચક્ષુદાન અંગે જાણ કરતા સરકારી હોસ્પીટલના અધિક્ષક ડો. જયેશ વેસેટીયન ડો. પાર્થ મેઘનાથી અને મેડીકલ ટીમના વજય ભાષ્કર, રોહિત સોîદરવા, નિતીન સાગઠીયા, ગીતાબેન બોરીચા અને ડ્રાઇવર ઇકબાલભાઇ સહીતનાઅોઍ સેવા બજાવી હતી. અને સરકારી હોસ્પીટલના ડોકટરો દ્વારા ચક્ષુદાન કરી માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયાને સોપાતા રાજકોટની જી.ટી.શેઠ હોસ્પીટલ ખાતે મોકલાવેલ. આ તકે પરીવારના કિશોરભાઇ વાઘેલા, પ્રકાશભાઇ વાઘેલા, બાબુભાઇ વાઘેલા સહીતના હાજર રહ્ના હતા. આ તકે માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને ભોલાભાઇ સોલંકીઍ વાઘેલા પરીવારની સેવા બિરદાવી હતી.આ સાથે માનવ સેવા યુવક મંડળને ૭૭મું ચક્ષુદાન મળ્યું હતું.

(12:09 pm IST)