Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

પોરબંદરમાં જલારામ જયંતીની પૂર્વ સંધ્યાએ રકતદાન કેમ્પ તથા અન્નકોટ યોજાયો

પોરબંદર,તા.૨: જલારામ બાપાની ૨૨૩મી જન્મ જયંતીની પૂર્વ સંધ્યાએ રકતદાન કેમ્પમાં ૩૨ બોટલો રકત એકત્ર થયેલ તથા ૨૨૩ કરતા પણ વધારે સામગ્રી ધરાવીને  જલારામનો અન્નકોટ યોજાયો હતો.

વલ્લભપ્રભુ સત્સંગ મંડળ પ્રકાશભાઇ રૃપારેલના સથવારે જલારામ સત્સંગ તથા   ત્યારબાદ આરતી અને જ્ઞાતિ મહાપ્રસાદ વિશાળ સંખ્યામાં જ્ઞાતિ પરિવારો તથા આમંત્રિત મહેમાનોએ લાભ લીધો હતો. સક્રિય  યુવક મંડળો મહિલા મંડળ તથા અંતર્ગત તમામ સંસ્થા દ્વારા રાણાવાવ સમસ્ત લોહાણા મહાજન રાણાવાવ દ્વારા આયોજનને માટે પ્રમુખ ભરતભાઇ રાજાણીએ  સૌને બિરદાવ્યા હતા.

(1:24 pm IST)