Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

ધોરાજીમાં સાંજે મૌન રેલી

ધોરાજી તા. ૨ : ધોરાજી સમસ્ત સમાજ દ્વારા આજે સાંજે  ૫:૦૦ કલાકે સ્ટેશન રોડ બાપુના બાવલા ચોક ખાતેથી વિશાળ મોન રેલી યોજાશે.

મોરબીમાં જુલતા પુલમાં જે દુર્ઘટના સર્જાય છે તે દુર્ઘટનામાં અસંખ્ય લોકોનું અવસાન થયું છે. જે દુઃખદ ઘટનાને ધ્યાનમાં રાખી ધોરાજી સમસ્ત હિંદુ મુસ્લિમ સમાજ દ્વારા એક મૌન રેલીનું આયોજન કરવામાં આવેલું છ.ે જે મૌન રેલી ધોરાજીના સ્ટેશન રોડ બાપુના બાવલા ચોકથી સાંજે ૫:૦૦ કલાકે પ્રારંભ થઈ જે ત્રણ દરવાજા મહાત્મા ગાંધી ચોક ખાતે પૂર્ણ થશે અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાશે આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ધોરાજીની ધર્મ પ્રેમી જનતાએ શ્રદ્ધાંજલિ અ૫ર્વા પધારવા યાદીમાં જણાવેલ છે.

(1:27 pm IST)