Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

મોરબીના મૃતકોને જૂનાગઢની ત્રિમૂતિ હોસ્‍પિટલ દ્વારા શ્રધ્‍ધાંજલી

જૂનાગઢઃ મોરબીનો ઝૂલતો પુલ તુટી પડતા ૧૪૦ થી વધુ નિદોર્ષ લોકોએ આ દુઘર્ટનામાં જીવ ગુમાવતા જૂનાગઢની ત્રિમૂર્તિ હોસ્‍પિટલ ખાતે ડો.ડી.પી.ચિખલીયાના અધ્‍યક્ષ સ્‍થાને મૃતકોને શ્રધ્‍ધાંજલી આપવા એક શોકસભા રાખેલ જેમાં ડો.દેવરાજ ચિખલીયા તેમજ ડો.શૈલેષ જાદવ, ડો.અમિત ભુવા, નિલેશભાઇ ચીખલીયા સહિતના તબીબો સ્‍ટાફ તથા દર્દીઓ અને તેની સાથે આવેલ પરિવારજનો એ બે મિનિટ મૌન પાળી મૃતકોને ભાવપૂર્ણ શ્રધ્‍ધાંજલી અર્પણ કરેલ જે તસ્‍વીરમાં નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા)

(1:32 pm IST)