Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

જુનાગઢના જલારામભકિતધામમા ૨૨૩દિવડાઓની અદભૂત સંધ્‍યા આરતી સાર્થે પ્રાર્થના સભા યોજાઈ

 જુનાગઢ : ઝાંઝરડા રોડ સ્‍થિત જલારામ મંદિરે જલારામબાપાની ૨૨૩મી જન્‍મ જયંતિ પ્રસંગે સમગ્ર લોહાણા નાત અને જલારામ ભક્‍તો માટે સમૂહ ભોજન સહિત અનેકવિધ કાર્યક્રમોનું આયોજન થયેલું. પણ મોરબીની દુર્ઘટનાને કારણે સમૂહ ભોજનનો કાર્યક્રમ રદ કરેલો તેના સ્‍થાને સાંજની આરતી સમયે આ દુર્ઘટનામાં દિવંગત થયેલા આત્‍માઓની શાંતિ અર્થે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્‍યું.તેમા અધધ સંખ્‍યામાં લોકો ઉમટી પડ્‍યા હતા. બે મિનીટનું મૌન પાળી શ્રધ્‍ધાંજલિ અર્પણ કરી હતી. ત્‍યારબાદ  ૨૨૩ દિવડાઓની શળંખલા સાથે સંધ્‍યા આરતી થઈ ત્‍યારે જાણે કે નભો મંડળનું તારક વળંદ ધરતી પર ઉતરી આવ્‍યું હોય તેવું અદભૂત  સર્જાયુ હતું.

(1:32 pm IST)