Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

જેતપુર પટેલ ચોક ગૃપ દ્વારા તુલસી વિવાહનું ભવ્‍ય આયોજનઃ વિજયભાઇ રૂપાણી ઉપસ્‍થિત રહેશે

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા., ૨: શહેરના પટેલ ચોક ગૃપ રાજેશભાઇ ઉસદડીયા દ્વારા અખીલ બ્રહ્માંડના નાયક પરબ્રહ્મ પુરૂષોતમ ભગવાનશ્રી વિષ્‍ણુ અને હરીપ્રીયા તુલશી માતાજીના દિવ્‍ય લગ્નોત્‍સવ તુલસી વિવાહનું આયોજન તા.૪ના રોજ કરવામાં આવેલ છે. તા.૩ના રોજ સાંજે પ કલાકે મંડપ મુહુર્ત તેમજ રાત્રીના ૯ કલાકે દાંડીયારાસ યોજાશે. તા.૪ના રોજ થાણાગાલોળથી અશોકભાઇ ઉંઘાડ પરિવાર ભગવાન વિષ્‍ણુની જાન સાંજે ૪.૩૦ કલાકે પધારશે. રાજેશભાઇ ઉસદડીયાના(પાલીકા ઉપપ્રમુખ) માતા ભગવતી તુલસી વૃંદા સાથે ઠાકોરજીનો વિવાહનો પ્રસંગ પટેલ ચોક ખાતે ધામધુમથી ઉજવવામાં આવશે. લગ્નની વિધી પરાગભાઇ જાની દ્વારા કરાવવામાં આવશે. આ પ્રસંગે પુર્વ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી, સાંસદ રમેશભાઇ ધડુક, ધારાસભ્‍ય જયેશભાઇ રાદડીયા, ભાજપ યુવા મોરચા પ્રદેશ પ્રમુખ પ્રશાંતભાઇ કોરાટ, ગોવિંદભાઇ પટેલ, મનસુખભાઇ ખાચરીયા, જેન્‍તીભાઇ રામોલીયા, પાલીકા પ્રમુખ કુસુમબેન સખરેલીયા, જશુમતીબેન કોરાટ, ગોરધનભાઇ ધામેલીયા, રાજુભાઇ હિરપરા સહીતના શહેરના અગ્રણીઓ ઉપસ્‍થિત રહેશે. તુલશી વિવાહને સફળ બનાવવા રાજેશભાઇ ઉસદડીયાની આગેવાની હેઠળ પટેલ ચોક ગૃપ, ગોપાવાડી-ખોડપરા ગૃપ, દેસાઇ વાડી અવેડા ચોક, ખોડપરા રામનાથ મિત્ર મંડળ રામનાથ યુવક મંડળ સહીત ર૦૦ થી વધુ કાર્યકર્તાઓ તૈયારીને આખરી ઓપ આપી રહયા છે.

(1:36 pm IST)