Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

આમ આદમી પાર્ટી દ્વારા ‘બસ હવે પરિવર્તન જોઇએ' યાત્રા

સૌરાષ્‍ટ્રમાં ૬૦ વિધાનસભા વિસ્‍તારમાં ફરશે

ખંભાળીયા તા.૨: આમ આદમી પાર્ટીના નેશનલ જોઇન સેક્રેટરી ઇશુદાન ગઢવીના નેતૃત્‍વમાં બસ હવે પરિવર્તન જોઇએ યાત્રાનો પ્રારંભ થયો છે. તેમણે જણાવેલ કે આ પરિવર્તન યાત્રા સૌરાષ્‍ટ્ર વિભાગમાં ૬૦ વિધાનસભા વિભાગોમાં કરશે અને પરિવર્તન લાવોનો સંદેશો આપશે.

ઇસુદાન ગઢવી તથા આપ અગ્રણીઓ દ્વારા મોગલધામ મંદિર, સુરજકરાડી, દ્વારકા તિરંગાયાત્રા, ભાટીયા, વાડીનાર તથા શેઢવડાલા વિભાગની મુલાકાત લીધી હતી.

૭૦ વર્ષમાં ના થયો હોય તેવો વિકાસ પાંચ વર્ષમાં કરવા તેમણે ખાતરી આપી હતી તથા ૩૧ ડિસેમ્‍બરથી તમામ કચેરીઓમાં ભ્રષ્‍ટાચાર પૂર્ણ થઇ જવાની વાત કરી. માર્ચથી દરેકના ઘેર વીજળી બીલ શૂન્‍ય આવવા લાગશે અને સરકારી અધિકારીઓ ઘેર આવીને કામ કરી જાય અને શાનદાર શાળાઓ શરૂ કરવા તથા ૨૦ હજાર મહોલ્લા કલીનીક શરૂ કરવા સહિતના વચનો પણ આપ્‍યા હતા.(૪૦.૫)સાંજે મોરબીના મૃતકો માટે શ્રધ્‍ધાંજલી સભા

(1:39 pm IST)