Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

મોરબીની દુર્ઘટનાના મળતકોને શ્રધ્‍ધાંજલી અર્પતા કેશોદની સામાજિક સંસ્‍થાઓ

 કેશોદ : મોરબીની દુર્ઘટનાના મળતકોને  કેશોદની  ભારત વિકાસ પરિષદ આઝાદ ક્‍લબ સહિતની અન્‍ય સામાજિક   સંસ્‍થાઓના શ્રેષ્ઠિઓ નગરજનો સૌ  કેશોદના ચારચોકમાં એકત્રીત  થયા હતા અને તમામ મળતકોને કેન્‍ડલ જલાવી એમને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા અને કેન્‍ડલ સાથે કેન્‍ડલ માર્ચ  ચારચોકથી આઝાદ કલબે પૂર્ણ કરી આઝાદ કલબમાં એ તમામ લોકો પ્રાર્થના સભાના રૂપમાં સૌ જોડાયા હતા. આ તમામ પ્રાર્થના સભામાં જોડાયેલા લોકોઍ મળતકોના પરિવારને સંવેદના વ્‍યક્‍ત કરી આ કાર્યમાં આઝાદ ક્‍લબના પ્રમુખ  વાળાભાઇ તથા ભારત વિકાસ પરિષદના પ્રમુખ જગમાલભાઈ નંદાણીયા તથા ડો.તન્ના ,દિનેશભાઇ કાનાબાર અને ડૉ ભુપેન્‍દ્રભાઇ જોષી તથા અનેક વડીલોની ઉપસ્‍થિતિમાં સૌએ શબ્‍દ પુષ્‍પથી અને પુષ્‍પો વડે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

(1:42 pm IST)