Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

અમરેલીમાં 'આપ' દ્વારા શ્રધ્ધાંજલી અર્પણ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૨: આજરોજ અમરેલીમાં જુના માર્કેટયાર્ડ થી રાજકમલ ચોક સુધી આમ આદમી પાર્ટી દ્વારા મોરબીમાં ઝુલતા પુલ તૂટવાથી થયેલ ભયંકર દુર્ઘટનામાં અવસાન પામેલ દિવંગતોને મૌન કેન્ડલ માર્ચ દ્વારા શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ કરેલ હતો.

મોરબી માથે આવેલ આફતમાં જોઈએ તો ૧૯૭૯ માં થયેલ મચ્છુ ડેમ તૂટવાથી ભયંકર દુર્ઘટના સર્જાઇ હતી અને સેંકડો લોકો માર્યા ગયા હતા પછી ૨૦૦૧માં થયેલ ભુકંપ માં પણ મોરબી ઉપર અણધારી આફત આવી હતી અને મોરબી શહેરને તબાહ કરી નાખ્યું હતું અને ગતરોજ સાંજે થયેલ આ દુર્ઘટનામાં તો દિવાળીના તહેવારોની રજા હોવાથી બહારથી ફરવા આવેલ અને આ ઝૂલતા પુલ ની મજા માણવા આવેલા લોકો પણ બાળકો સહિત દુર્ઘટનાનો ભોગ બન્યા જેમાં અનેક પરિવારો નોંધારા બન્યા છે અને અનેક પરિવારોના લોકો ઘાયલ થયા છે તો આ તમામ લોકોને દિવંગતોને શ્રદ્ધાંજલિ તેમજ ઘાયલ થયેલા લોકોને ભગવાન જલ્દી સાજા કરે એવી પ્રાર્થના સાથે અમરેલીમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો કાર્યકરો દ્વારા મૌન કેન્ડલ માર્ચ અમરેલીના રાજમાર્ગ તેમજ રાજકમલ ચોકમાં કરી હતી.

(1:46 pm IST)