Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

વાંકાનેરમાં આજે સાંજે મૃતકોને શ્રધ્ધાંજલી અપાશે

(મહમદ રાઠોડ દ્વારા)વાંકાનેર તા. ૨ : મોરબી ઝુલતો પુલ તૂટી જવાથી જે લોકો મૃત્યુ પામ્યા છે તેનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ ૨/૧૧/૨૦૨૨ સાંજે ૦૭:૦૦ કલાકે ગરાસિયા ર્બોડિંગે રાખેલ છે તો પ્રદેશના હોદ્દેદારો, જિલ્લાના હોદ્દેદારો, નગરપાલિકા પૂર્વ સદસ્યો, તાલુકા પંચાયતના હોદ્દેદારો, વાંકાનેર શહેર સંગઠન તેમજ તાલુકા સંગઠન અને વિવિધ મોરચાના તમામ હોદ્દેદારો તેમજ વિવિધ સેલના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ આજે સાંજે ૦૭  ૦૦ કલાકે, પૂર્ણ ચંદ્ર ગરાસીયા ર્બોડિંગ, ભાજપ કાર્યાલય, વાંકાનેર ખાતે ઉપસ્થિત રહેવા ઍસ.ઍમ ઇન્ચાર્જ વાંકાનેર શહેર ભાજપ હિમાંશુભાઈ ગેડિયાઍ જણાવ્યું છે.

(1:47 pm IST)