Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

મોરબી બાર ઍસોસીઍશન દ્વારા મૌન રેલી

મોરબી,તા. ૨ : મોરબી બાર ઍસોસીઍશન દ્વારા ઍડવોકેટશ્રીને જાણ કરવામાં આવી છે કે, તા. ૩૦/૧૦/૨૦૨૨ના રોજ મોરબી ઝૂલતા પુલ તુટવાની ગોજારી અને અત્યંત દુઃખદ દુર્ઘટનાને કારણે મૃત્યુ પામેલા લોકોના દિવંગત આત્માને શ્રધ્ધાંજલી અને પુષ્પાંજલી આપવા માટે મોરબી જિલ્લા વકીલ મંડળ તરફથી તા. ૨/૧૧/૨૦૨૨ના  બુધવારના રોજ વિશાળ મૌન રેલી કાઢવાનું આયોજન કરવાનું હોય મૌન રેલીમાં તમામ વકીલશ્રીઍ હાજર રહેવાની જાણ કરવામાં આવી.મોરબી ડીસ્ટ્રીકટ ઍન્ડ સેશન્સ કોર્ટ ખાતેથી શરૂ થઇ, નવા પુલ ઉપર થઇ, મહેન્દ્ર ડ્રાઇવ રોડ થઇ ઝુલતા પુલ પાસે મૌન રેલી પૂર્ણ થશે. આ મૌન રેલી સવારે  ૧૧ કલાકે શરૂ થઇ હતી અને બપોરે ૧૨ કલાકે પૂર્ણ થઇ હતી તેમ જે.ડી.અગેચાણીયા સેક્રેટરી મોરબી બાર ઍસોસીઍશનઍ જણાવ્યું છે.

(1:56 pm IST)