Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

મુળ ભાતેલના બે બાળકોના પણ મોરબી દુર્ઘટનામાં મૃત્યુ

ખંભાળીયા તા. ર :.. મુળ ખંભાળીયાના ભાતેલના રહેવાસી તથા હાલ મોરબી રહેતા બે રાજપૂત પરિવારના બાળકો પણ મોરબી પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામતા રાજપૂત સમાજમાં શોકનું વાતાવરણ છવાયું હતું. ભાતેલના અરવિંદસિંહ જાડેજાનો પુત્ર મિતરાજસિંહ તથા હિતેન્દ્રસિંહ જાડેજાનો પુત્ર રવિરાજસિંહ બન્ને નાની ઉંમરના બાળકો ૩૦-૧૦ ના પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા જેથી ખંભાળીયા ભાતેલ રાજપૂત સમાજમાં શોકની લાગણી ફેલાઇ હતી.

(2:02 pm IST)