Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

મોરબી જીલ્લા વહીવટી તંત્ર-નગરપાલિકા દ્વારા મૃતકોની આત્માની શાંતિ અર્થે પ્રાર્થના સભા-શ્રદ્ધાંજલિ અપાઈ

મોરબીના ઝુલતો પુલ તૂટતા સર્જાયેલી દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દિવંગતોને મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી  હતી.
મોરબી ખાતે સર્જાયેલી દુર્ઘટનાના પગલે આજ સમગ્ર રાજ્યમાં શોક જાહેર કરવામાં આવ્યો છે. આજે સમગ્ર રાજ્ય ભીની આંખે તમામ દિવંગતોને શ્રદ્ધાંજલી અર્પણ કરી રહ્યું છે ત્યારે મોરબી જિલ્લા વહિવટીતંત્ર દ્વારા કલેક્ટર કચેરી ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરી ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી  હતી. તે ઉપરાંત મોરબી નગરપાલિકા કચેરીએ પણ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ ચૂંટાયેલા સદસ્યો દ્વારા શોક સભા યોજી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

(8:20 pm IST)